Thursday, 16 February 2017

વિજેતાઓ કોઇ જુદુ કામ નથી કરતા, એ કામને જુદી રીતે કરે છે.

એક જાહેર રસ્તા પર એક અંધ માણસ મદદ માંગવા માટે બેઠો હતો. આ રસ્તા પરથી અનેક લોકો પસાર થતા હતા આથી એ માણસને વધુ મદદ મળશે એવી અપેક્ષા હતી. 

એક સામાન્ય પાથરણું પાથરીને બાજુમાં એક ખાલી વાસણ રાખેલુ 
જેથી લોકો મદદ માટેની રકમ એ વાસણમાં મુકી શકે. મદદ માટે એમણે એક બોર્ડ 
લખીને બાજુમાં મુકેલુ. બોર્ડમાં લખ્યુ હતુ " હું અંધ છું. મને મદદ કરો. " 

સવારથી સાંજ પડવા આવી પણ એમના વાસણમાં માંડ માંડ થોડા લોકોએ મદદ માટે 
રકમ નાંખી હતી. એક માણસે ત્યાં આવીને બોર્ડવાંચ્યુ. એણે અંધ માણસને કહ્યુ , " ભાઇ 
બોર્ડમાં તે લખેલું લખાણ બરાબર નથી તારી મંજૂરી હોય તો હું એt સુધારી આપુ ? " 
અંધ માણસે આ માટે અનુમતિ આપતા જ પેલા સજ્જને બોર્ડનું લખાણ બદલાવીને એ બોર્ડ ફરીથી એ જગ્યા પર મુકી દીધુ અને થોડી રકમ વાસણમાં મુકીને જતા રહ્યા. 
પોતે લખેલા લખાણની કેવી અસર છે એ જોવા માટે થોડા સમય પછી પેલા સજ્જન પાછા આવ્યા. સવારથી જે વાસણમાં માત્ર થોડી રકમ ભેગી થયેલી એ વાસણ આખે આખુ ભરાઇ ગયુ હતુ. 

અંધ માણસ પણ બોર્ડ બદલાવનાર સજ્જનના પગનો અવાજ ઓળખી ગયો. એમણે 
પેલા સજ્જનને પુછ્યુ , " તમે એવું તે શું લખાણલખ્યુ કે લોકો આટલી બધી મદદ કરવા લાગ્યા ? " 

બોર્ડ બદલનાર સજ્જને કહ્યુ , " ભાઇ , મેં તો જેસત્ય હતુ તે જ કહ્યુ છે. બોર્ડમાં તે જે લખેલુ હતુ મેં પણ એ જ લખેલુ હતુ બસ જરા લખવાની રીત બદલી હતી. મેં તારા લખાણને છેકીને ત્યાં નવુ લખાણ લખ્યુ ' આજે કેટલો સરસ દિવસ છે પણ હું 
આપની જેમ એ જોઇ શકતો નથી.' તારા અને મારા લખાણની અસરો બદલાઇ ગઇ " 

મિત્રો , વાત એક જ હોય પણ જો કહેવાની રીત બદલાઇ તો એનો અર્થ પણ બદલાઇ જાય અને અસર પણ બદલાઇ જાય ! 

શિવખેરા કહે છે , " વિજેતાઓ કોઇ જુદુ કામ નથી કરતા, એ કામને 
જુદી રીતે કરે છે. "